એણે વાત માની નહિ, ને ના હું મનાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,
એણે રાઝ જાણ્યું નહિ, ને ના હું જણાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,
એણે અહમ છોડ્યો નહિ, ને ના હું છોડાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,
એણે ભ્રમ તોડ્યો નહિ, ને ના હું તોડાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,
એણે શણગાર સજ્યો નહિ, ને ના હું સજાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,
એણે ઘર તૂટતા બચાવ્યું નહિ, ને ના હું બચાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો...
- નિશાંક મોદી
No comments:
Post a Comment