ભક્તિ જાણતી મીરાં, રાધા જાણતી પ્રેમ,
ના મળ્યો તું કોઈને કારણ કોણ જાણે કેમ,
નતો દ્વેષ, ઈર્ષા ને હતા હરિના મારગ પર,
તોય નરસિંહ દુઃખીને, સ્થિતિ એમને એમ,
દ્વારકાનો રાજા છતાં ભૂલાઈ ગઈ મિત્રતા,
ક્યાં છુપાયો તો તું સુદામાની પોટલી જેમ,
ધારત તો રોકી શકત તું મહાભારત કાના,
અભિમન્યુ અર્જુન બન્નેને રાખત હેમખેમ,
ભક્તિ જાણતી મીરાં, રાધા જાણતી પ્રેમ,
ના મેળવ્યા કૃષ્ણને કારણ કોણ જાણે કેમ.
- નિશાંક મોદી