કોણ કહે છે કે, વર્ષોના બંધનો છૂટતા નથી,
નાથ નીકળ્યો દ્વારે જુઓ દાસો પૂછતાં નથી,
ગલીઓ સુમસાન, વેગ પકડાયો નાદ વગર,
પ્રભુ તારા રથના પૈડાં પણ હવે તૂટતા નથી,
લૂંટી ગયો બે વર્ષમાં એટલું બધું નગરજનોનું,
આ વર્ષે તારા જાંબુ કે મગ કોઈ લૂંટતા નથી,
અમે ઘરમાં છીએ અને બારણું અમારું નાનું,
તારથી નમાશે? સાંભળ્યું છે કે ઈશ્વર ઝુકતા નથી!
કોણ કહે છે કે, વર્ષોના બંધનો છૂટતા નથી,
નાથ નીકળ્યો દ્વારે જુઓ દાસો પૂછતાં નથી...
✍️નિશાંક મોદી
No comments:
Post a Comment