Sunday, January 6, 2019

કેમ લખું ગઝલ?

પૂછે કોઈ મને, કે ગઝલ લખવા શું જોઈએ?
કોરો કાગળ જોઈએ કે ભીની કલમ જોઈએ?

ઘાવ જો બસ પુરાવાની અણી પર હોય ત્યારે,
ખોદી શકે એવો, નખ નામનો મલમ જોઈએ,

રાખ કરવાની રીત મળી ગઈ છે મારા દેહ ને,
અંદર બહાર બંન્ને સળગે એવી ચલમ જોઈએ,

વાયદાઓ પુરા કોઈ દી થતા નથી કોઈનાય,
હાથ મેળવી ચીરો પાડે એવો વ્હાલમ જોઈએ,

ના કોરો કાગળ જોઈએ, ના કલમ જોઈએ,
દર્દ બનાવે ગઝલ અથવા પ્રેમનો જુલમ જોઈએ.

- નિશાંક મોદી

No comments:

Post a Comment